મુખ્યમંત્રી કેજરીવાલની ભાજપને ખુલ્લી ધમકી: અરવિંદ કેજરીવાલે કહ્યું- કાલે ભાજપની મુખ્ય ઓફિસે આવવાનો છું, જેની ધરપકડ કરવી હોય તેની કરી લેજો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan18052024_123103_Kejriwal 25.webp)
- 18 May, 2024
સ્વાતિ માલીવાલ સાથે મારામારી કરવાના મામલામાં દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમારની ધરપકડ કરી છે. આ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે હું આવતીકાલે 12 વાગ્યે મારા તમામ નેતાઓની સાથે ભાજપની મુખ્ય ઓફિસે જઈ રહ્યો છું. તમારે જેની પણ ધરપકડ કરવી હોય તેની કરી લેજો.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તમે જોઈ રહ્યાં છો કે કઈ રીતે આ લોકો આમ આદમી પાર્ટીની પાછળ પડી ગયા છે. એક પછી તેઓ અમારા નેતાઓને જેલમાં ધકેલી રહ્યાં છે. તેમણે મને જેલમાં નાંખ્યો, મનીષ સિસોદિયાને પણ જેલમાં નાંખ્યા, સત્યેન્દ્ર જૈનને પણ જેલમાં નાંખ્યા, સંજય સિંહને પણ જેલમાં નાંખ્યા, આજે મારા પીએને પણ જેલમાં નાંખ્યા. હવે તેઓ એમ પણ કહી રહ્યાં છે કે રાધવ ચડ્ડાને પણ જેલમાં નાંખશે કે જે હજી હમણાં જ લંડનથી પરત આવ્યા છે. થોડા દિવસોમાં સૌરભ ભારદ્વાજને પણ જેલમાં નાંખશે, આતિશીને પણ જેલમાં નાંખશે.
કેજરીવાલે વધુમાં કહ્યું કે હું વિચારી રહ્યો હતો કે અમને બધાને શાં માટે જેલમાં નાંખવા માંગે છે. અમારો શું વાંક છે. અમારો વાંક એ જ છે કે અમે દિલ્હીની અંદર ગરીબ બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી અને સરકારી સ્કુલો સારી બનાવી. તેઓ આ કરી શકે તેમ નથી. આ કારણે દિલ્હીની સરકારી સ્કુલોને રોકવા માંગે છે. અમારો વાંક એ છે કે અમે દિલ્હીની અંદર મોહલ્લા ક્લિનીક બનાવ્યા, સરકારી હોસ્પિટલો બનાવી, લોકોને ફ્રી દવા આપવાની વ્યવસ્થા કરી. સારી સારવારની વ્યવસ્થા કરી. તેઓ કરી શકતા નથી. તેના કારણે તેઓ દિલ્હીના મોહલ્લા ક્લિનીક, હોસ્પિટલો અને સારવારને રોકવા માંગે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ